અમદાવાદ બાદ હવે જામનગરમાં પણ મેગા ડિમોલિશન ની કાર્યવાહી શરૂ….

૧.૨૫.૦૦૦ ચો.મીટર જગ્યા ખાલી કરાઇ, જેની આશરે રૂા.૦૬ કરોડ, ૩૦ લાખ…..

• “રંગમતી નદી” વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર પટણીવાડ બનીયો વિસ્તાર તથા મહારાજા સોસાયટી વિસ્તારમાં ૮૪ મકાન અને ૧૦ કોમર્શિયલ દુકાન પર ડીમોલેશન……
જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ સુજલામ સુફલામ યોજનાને લઇને કાલાવડ નાકા બહાર થી લઇને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે વેહલી સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા-જુદા ત્રણ વિસ્તારમાં આવેલા ૧૧૬ જેટલા મકાનો-દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે ૧,૨૫,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૧૫૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ, પીએસઆઇ તથા સર્વેલન્સ સ્કવોડ તથા  મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે અને મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ-અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાંક મકાન-દુકાનો વગેરે ખડકી દેવાયા હતા. જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે ૮૪ જેટલા મકાનો ખડકાયેલા હતા.
જે તમામને અગાઉ થી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સુચના અપાઇ હતી. ત્યારબાદ સવારે ડીમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી.કમિશનર ભાવેશકુમાર જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટી.પી.ઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૨૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેસનમાં જોડાયા હતા અને અલગ-અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.
સમગ્ર મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે ૧૨ જે.સી.બી મશીનો, ૩ હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા જે ત્રણેય સ્થળે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે. જેમાં જામનગર એલસીબી શાખા ના પીઆઇ વીરા લગારિયા, પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી તથા એલસીબી ની ટુકડી તેમજ મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે. જેમાં એક સ્થળે ૮૪ મકાનોનું દબાણ ખુલ્લું કરાવાઇ રહ્યું છે. જ્યારે બીજા સ્થળે ૧૬ દુકાનો સહિત ૪૬ જેટલા બાંધકામો ને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે ત્રીજા સ્થાને ૨૩ મકાનો પર મહાનગરપાલિકા નો હથોડો વીંઝવામાં આવ્યો છે અને અંદાજે ૧,૨૫,૦૦૦ ફૂટ થી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. હાલ, જેની બજાર કિંમત રૂા.૦૬ કરોડ ૩૦ લાખ ગણાય છે. આવનાર દિવસમાં પણ જ્યાં-જ્યાં સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જા તથા દબાણો પર દૂર કરવાની ચુસ્ત કાર્યવાહી કરવામાં આવશે.
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

HUF Registration Services In India

Horoscope

Scroll to Top