જ્ઞાનપ્રકાશ સ્વામીને આખરે જ્ઞાન લાધ્યું!, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી

વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથુ ટેકવી માફી માગી લીઘી છે.

પાછળના દરવાજેથી આવીને જલારામ બાપાની માફી માગી

જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વીડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. મહત્ત્વનું છે કે નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં સ્વામી આવ્યા હતા અને માફી માગી મંદીરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.

બીજા સ્વામી આવું નહીં બોલે તેની શું ખાતરી?’

આ સમગ્ર મુદ્દે દેવનાથ બાપુનું કહેવું છે કે, ‘એક પુસ્તકને આધાર બનાવી સ્વામીએ બફાટ કર્યો હતો. ત્યારે આજે એક સ્વામીએ માફી માગી છે કાલે બીજા સ્વામી એ પુસ્તકના આધારે ફરી આવું નહીં બોલે તેની શું ખાતરી, આ લોકોની મનગડત કહાનીઓ વાળી ચોપડીઓને સળગાવી દેવી’

પહેલા બફાટ કરવાનો પછી માફી માગી લેવાની પ્રથા થઈ ગઈ’

તો રઘવંશી સમાજના એક અગ્રણીનું કહેવું છે કે, ‘પહેલા બફાટ કરવાનો અને પછી માફી માગી લેવાની એ હવે આવા સ્વામીઓની પ્રથા થઈ ગઈ છે. માફી બાદ હવે આ રોષ પૂર્ણ થવો જોઈએ. પરંતુ આ સ્વામીને હવે 10-15 વર્ષ સુધી વ્યાસ પીઠ પર ન બેસવા દેવા જોઈએ. જો પહેલા જ માફી માગી લીધી હોત તો આ મુદ્દો આટલો મોટો ન થયો હોત’.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top