વાહન વ્યવહાર વિભાગે જાહેર કર્યો પરિપત્ર હવે તમે નવા વાહન પર જૂની નંબર પ્લેટ લગાવી શકશો!

ગુજરાત રાજ્યમાં વ્હીકલ નંબર રીટેન્શન પોલિસી અમલીકરણ કરવાને લઈને વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જૂના વાહનના વેચાણ કે સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદી કરનારને જૂના વાહનનો નંબર મેળવી શકવાની જોગવાઈ છે. જાણો કઈ રીતે નવા વાહનોમાં જૂના વાહનની નંબર પ્લેટ રાખી શકાય.

બે કિસ્સામાં નવા વાહનમાં જૂનો નંબર મેળવી શકાશે

વાહન વ્યવહારના પરિપત્ર મુજબ, રાજ્યમાં બે કિસ્સામાં વાહન નંબર રીટેન્શન કરી શકાશે. જેમાં જૂનું વાહન વેચવામાં આવે છે, ત્યારે જે-તે બાઇક, કાર કે અન્ય વાહનના માલિક પોતાના વાહનનો જૂનો જ નંબર નવા વાહન માટે મેળવી શકશે. જેના માટે અરજી કરીને પોતાના વાહનનો જૂના નંબર રીટેઇન કરાવી શકાશે. આ ઉપરાંત, જ્યારે વાહન સ્ક્રેપમાં જાય છે, ત્યારે નવા વાહન ખરીદનાર વ્યક્તિને પોતાનો જૂનો નંબર અપાશે. જ્યારે જૂના સ્ક્રેપ થનારા વાહન માટે અન્ય નંબર એલોટ કરવામાં આવશે.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top