ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો

 ફોરેન ફંડોની શેરોમાં રૂ.14,670 કરોડની ધૂમ ખરીદીના પરિણામે…

– સેન્સેક્સમાં 3395, નિફટીમાં 1023 પોઈન્ટનો ઉછાળો : ગુરૂવારે સેન્સેક્સ 1509 પોઈન્ટ, નિફટી 414 પોઈન્ટ વધી ચાર મહિનાની ટોચે

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરના કારણે વૈશ્વિક બજારોમાં એક સપ્તાહ પૂર્વે આવેલા વંટોળમાં સર્જાયેલી ડામાડોળ પરિસ્થિતિમાં વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા અને ચાઈના વચ્ચે સીમિત થવા લાગતાં એડવાન્ટેજ ઈન્ડિયા બની વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં રોકાણ તરફ વળ્યા છે. આ રોકાણ આકર્ષણે ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં ભારતમાં શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૮.૦૫ લાખ કરોડનો જંગી વધારો થયો છે.

૧૧, એપ્રિલ ૨૦૨૫ના રોજ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે રૂ.૪૦૧.૫૫ લાખ કરોડ હતું, એ ત્રણ દિવસમાં રૂ.૧૮.૦૫ લાખ કરોડ વધીને આજે-શુક્રવારે ૧૭, એપ્રિલ ૨૦૨૫ના રૂ.૪૧૯.૬૦ લાખ કરોડ પહોંચી ગયું છે.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket


HUF Registration Services In India

Horoscope

Scroll to Top